અપઘાત ભય જાય, ટળે અકાળ મરણ
૯ ડિસેમ્બરની રાત્રિ મારા જીવનમાં કાળરાત્રિ બનીને જ આવી હતી. તે દિવસે સચ્ચિદાનંદોત્સવનો આખરી દિવસ હતો. મારા મિત્ર ડો. સતીષ પાટીલની દીકરીનાં લગ્ન સમારોહમાંથી અમે અંમળનેર પરત આવતા હતાં. મારી ઇન્ડિગો કારમાં મારી સાથે અંમળનેરનાં બાળરોગનાં તજજ્ઞ ડો.નિતીન પાટીલ અને સર્જન ડો.અનિલ શિંદે પણ હતાં. રસ્તામાં જમીને અમે રાત્રે ૧૨.૧૫ નીકળ્યા હતાં, આ સમયે ડ્રાઇવર ૧૨૦ની સ્પીડે ગાડી ચલાવતો હતો. ડ્રાઇવરની સ્પીડ જોઇને ડો.નિતીન પાછલી સીટ પર આવ્યાં હતાં અને ડો.શિંદે ડ્રાઇવરની બાજુમાં આગળની સીટ પર બેઠા હતાં.
- ડો. સંજીવસિંહ ચવ્હાણ
|